https://fik-hub.blogspot.com/2014/12/audio-trannay-mp3islamic-anthems-in-urdu.html?m=1
हमारे ये ब्लोग आपको हमारी SAFTEAM के सामाजिक कार्यों ओर अनुभव के साथ इतिहास,वर्तमान ओर भविष्य को लेकर बेहतरीन जानकारियाँ देता रहेगा, साथमे हमारे इस ब्लोग मे आपको सोशीयल मिडिया के जानकारी वाले वायरल मेसेज आपतक शेर करेंगे. हमारे बेहतर भविष्य के लिये हमे बदलाव लाना हे। हमारे कार्यो मे आप सहयोगी बनना चाहते हे, कोमेन्ट करे.
Followers
Saturday, 28 July 2018
Wednesday, 11 July 2018
માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫
માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫
પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરીકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા ‘સંસદ’ની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતીઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે ? શું કામ કરે છે ? તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા ? તે જાણવાનો દેશના તમામ નાગરીકોને અધિકાર છે. નાગરીકોનો જાણવાનો અધિકાર *“માહિતી અધિકારનો કાયદો ૨૦૦૫”* દ્વારા નિશ્ચિત થાય છે. આ કાયદો તમામ નાગરીકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે.
*માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?*
માહિતી અધિકારના કાયદા મુજબ “માહિતી” એટલે કોઇપણ સામગ્રી તે કોઇપણ સ્વરૂપમાં હોય. રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તમંડળની પહોંચમાં આવતી માહિતી.
માહિતીના અધિકારમાં સરકાર પાસેથી તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરોંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો, કે તેનો કોઇ ભાગ કે દસ્તાવેજ, રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.
1. આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે.
2. અરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી.
3. અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માગો, તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવારફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે, અથવાસ્પષ્ટતા ના અભાવે આપને બીનજરૂરી માહિતી મળે તેવું બને.
*અરજીમાં શું લખશો ?*
1. જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો.
2. અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું
3. તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત
4. તમે ભરેલી અરજી ફીની વિગત. જો તમે બી.પી.એલ. કુટુંબના સભ્ય હોવ તો બી.પી.એલ કાર્ડના મુખ્ય તથા કુટુંબના સભ્યોના નામ લખેલા પાનાની સ્વ-પ્રમાણિત ફોટોકોપી અરજી સાથે જોડો અને તેની નોંધ અરજીમાં બિડાણ તરીકે કરો
5. તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો.
6. તમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં.
7. અરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નક્કી કરવાનો અધિકાર નાગરીકને છે.
8. જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી.
*માહિતી અધિકારનો કાયદો તથા આ કાયદા હેઠળ રાજ્ય સરકારે બનાવેલા નિયમો મુજબ અરજી નિયત નમૂનામાં કરવી ફરજિયાત નથી. માહિતી મેળવવા માટેની અરજી કોરા કાગળ પર હસ્તલેખિત સ્વરૂપે અથવા ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. ઇ-મેઇલ દ્વારા કરેલી અરજી માટે ભરવાની થતી ફીની રકમ અરજી કર્યા તારીખથી સાત દિવસમાં ભરવાની રહે છે. તેમ કરવામાં ચૂક થયેથી અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.*
*અરજી કોને આપશો ?*
1. માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય.
2. આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે.
3. કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજુ થયેલી કોઇપણ ખાતાને લગતી માહિતી માંગતી અરજી સ્વિકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ ૬(૩) મુજબ અરજી પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતાને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે.
4. અરજી જાહેર માહિતી અધિકારીને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સમાં રૂl. ૧૦ અને રાજ્ય સરકારમાં રજુ થયેલી અરજી માટે રૂl. ૨૦ અરજી ફી ( બી.પી.એલ કુટુંબ ના સભ્ય સિવયના અરજદારોએ) ભરવાની રહેછે. કેન્દ્ર સરકારને રજુ કરવાની અરજી નક્કી કરેલી પોષ્ટઓફિસોમાં પણ ફી સાથે આપી શકાય છે.
5. રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, પે ઓર્ડર કે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચાંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, રોકડેથી,બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.
6. રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી એટલે રાજ્ય સરકારની કોઇપણ કચેરી અને કેન્દ્ર સરકારને કરેલી અરજી એટલે કેન્દ્ર સરકારની કોઇ પણ કચેરી.
*(અહીં રાજ્ય સરકાર એટલે ગાંધીનગર અને કેન્દ્ર સરકાર એટલે દિલ્હી એમ ન સમજવું)*
*જાહેર માહિતી અધિકારી કોઇપણ કારણસર અરજી કે ફી સ્વિકારવાની ના પાડી શકે નહી, અને જો અરજી કે ફી સ્વિકારવાની ના પાડે તો માહિતી અધિકાર ના કાયદા હેઠળ અરજદારને માહિતી નકારી છે તમ ગણાય, અને આવા કિસ્સામાં નાગરિક માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.*
*અરજી કર્યા પછી શું ?*
1. જાહેર માહિતી અધિકારી ને અરજી મળ્યા પછી તે ચકાસશે કે અરજી ફી જમા થઇ છે કે નહીં ? અને જો ફી ભરપાઇ થયેલ હશે તો માહિતી અધિકાર ગુજરાત નિયમો-૨૦૦૫ની કલમ ૩(૧) મુજબ જાહેર માહિતી અધિકારી અરજી મળ્યા અંગે ની પહાંચ પાઠવશે અને સાથે અરજદાર પાસે રેકર્ડ નિરિક્ષણ અંગે તારીખ ની માગણી કરશે.
2.બી.પી.એલ કુટુંબના અરજદારને માહિતી માટે કોઇ ચાર્જ ભરવાનો થતો નથી. આ માટે અરજી સાથે બી.પી.એલ કાર્ડ અથવા દાખલાની નકલ જોડવાની રહે છે.
3. જો તમે અરજી સાથે ફી નહીં ભરી હોય તો જાહેર માહિતી અધિકારી નિયમ ૩(૨) પ્રમાણે તમને ફી ભરવા જાણ કરશે.
4. તમે માંગેલ માહિતી એકત્ર કરી, તે માટે તમારે ભરવાની થતી રકમની તમને લેખિતમાં જાણ કરશે. અને જો તમે રેકર્ડ નિરિક્ષણની માગણી કરેલ હશે તો તમારા દ્વારા રેકર્ડ નિરિક્ષણ કર્યા બાદ તમે માગશો તેટલી માહિતી અંગેની ફી ભરવા લેખિતમાં જાણ કરશે.
5. તમે માંગેલી માહિતે જો તમને ૩૦ દિવસ પછી પૂરી પાડવામાં આવેતો કાયદાની કલમ ૭(૬) મુજબ તે વિનામૂલ્યે પૂરી પાડવાની રહે છે.
6. જો તમે માંગેલી માહિતી વ્યક્તિના જીવન અને સ્વાતંત્રને લગતી હોય તો ૪૮ કલાકમાં પૂરી પાડવાની કાયદાની કલમ ૭(૧) માં જોગવાઇ છે.
7. કાયદાની કલમ ૮ માં આ કાયદા હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેવી બાબતોની યાદી આપવામાં આવી છે.
8. જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેમ છતાંય ભ્રષ્ટાચાર, માનવ અધિકારોના ભંગ અને વ્યાપક જાહેર હિત બાબતની માહિતી માંગવામાં આવેથી પૂરી પાડવાની રહે છે.
9. જાહેર માહિતી અધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી જરૂરી છે, તો જાહેર માહિતી અધિકારી તે માહિતી પૂરી પાડશે.
*આ કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે, જે માહિતીનો રાજ્યની વિધાનસભાના સભ્ય કે સંસદસભ્યને ઇનકાર ના કરી શકાય તેવી માહિતી નો કોઇપણ નાગરીકને ઇનકાર કરી શકાશે નહીં*
*ત્રીસ દિવસમાં માહિતી ના મળે કે વધુ ફી માંગવામાં આવે તો શું કરવું ?*
1. ત્રીસ દિવસમાં માહિતી ના મળે તો, તમે જે તે વિભાગના અપીલ સત્તાધિકારીને અપીલ કરી શકો છો.
2.અધૂરી, ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી મળે કે તે માટે ભરવાની રકમ અપ્રમાણસર કે નિયમ વિરુદ્ધ લાગે તો રાજ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮(૧)(૨) હેઠળ સીધી ફરિયાદ કરી શકાય છે.
3. જાહેર માહિતી અધિકારી પાસેથી તે વિભાગના અપીલ સત્તાધિકારી કોણ છે ? તેની વિગત અને સરનામું નિર્ણય ની સાથે ફરજિયાત પણે લેખિત માં મેળવી શકાય છે.
4. જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ વ્યક્તિ, અથવા ત્રીસ દિવસમાં કોઇ નિર્ણય ના મળ્યો હોય, તે સંજોગોમાં તે પછીના ત્રીસ દિવસની અંદર આ કાયદા હેઠળ નિમાયેલા અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલ કરી શકશે.
5. અપીલ માટે કોઇ ફી ભરવાની નથી.
6. અપીલ સાદા કાગળ પર લખવાની રહે છે.
*મોહમ્મદ શરીફ મલેક*
*માનવ અધિકાર એક્ટિવિસ્ટ*
*RTI એક્ટિવિસ્ટ*
*અલ્પસંખ્યક અધિકાર મંચ*
સરકાર પાસે આ માહિતી માગો
તમારા શહેર, જિલ્લા કે ગામમાં ચાલતા જાહેર કામોનું સ્થળ પર નિરિક્ષણ કરો.
પ્રતિ:
જાહેર માહિતી અધિકારીશ્રી.
મહાનગર સેવા સદન/નગર સેવા સદન/ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી/તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી/ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી./ગ્રામપંચાયત કચેરી ( આ પૈકી તમે ઇચ્છો તે કચેરી એ અરજી કરી શકોછો.)
અમદાવાદ,વડોદરા,સુરત, આણંદ, મહેસાણા, પાટણ, ભરૂચ,જામનગર, ભૂજ, દાહોદ તથા જેતે ગામનું નામ.
અરજદાર નું નામ: __________________________________________________
સરનામું: __________________________________________________________
માહિતીની વિગતો:
(૧) અત્રેની કચેરી હસ્તક ચાલતા જાહેર કામકાજો ( રસ્તાઓ, ગટરો, પાણી પુરવઠા,ખેત તલાવડી, ચેકડેમો, વોટર શેડ, જાહેર બાંધકામો, સફાઇ, આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ વગેરે) ની યાદી આપવી તેમજ દરેક કામ પાછળ કરવામાં આવનાર ખર્ચની વિગતો આપવી, દરેક કામ માટે કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા ના દસ્તાવેજો નિરિક્ષણ અર્થે રજૂ કરવા, પૂર્ણ થયેલા કામોની મેજરમેન્ટ શીટ નિરિક્ષણ અર્થે રજૂ કરવી, પૂર્ણ થયેલા કામો અંગે ઇજારદાર દ્વારા રજૂ કરાયેલા બિલો તેને પાસ કરનાર અધિકારીના નામ હોદ્દા, તેમજ ચૂકવાયેલા નાણાં ની વિગતો દર્શાવતા દસ્તાવેજો નિરિક્ષણ અર્થે રજૂ કરવા.
(૨) ઉપરોક્ત મુદ્દા નં (૧) મૂજબના અત્રેની કચેરી હસ્તક ચાલતા જાહેર કામકાજો નું સ્થળ પર નિરિક્ષણ કરી ડ્રોઇંગ મૂજબ માપણી કરવા અંગે અમોને લેખિત માં જાણ કરવી. અને અમારા દ્વારા આવા નિરિક્ષણ દરમ્યાન કામકાજોમાં વાપરવામાં આવતા માલસામાનના પ્રમાણિત નમૂના ની માંગણી કરવામાં આવ્યેથી તે પ્રમાણિત કરી પૂરા પાડવા, તેમજ વાપરવામાં આવતા માલસામાનના ઉત્પાદક દ્વારા રજૂ કરવામાં આવેલા ટેસ્ટ સર્ટિફિકેટો ની પ્રમાણિત નકલો પૂરી પાડવી.
(૩) અત્રેની કચેરી હસ્તક ના દવખાનાઓ માં ઉપલબ્ધ સગવડો તથા સાધન સામગ્રી ની ચાલુ કે બંધ હાલત વગેરે નિરિક્ષણ અંગે જાણ કરવી તથા દર્દીઓને આપવામાં આવતી સારવાર નું રૂબરૂ નિરિક્ષણ અંગે જાણ કરવી.
(૪) અત્રેની કચેરી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ સગવડો તેમજ શૈક્ષણિક કાર્ય નું રૂબરૂ નિરિક્ષણ કરવા અંગે જાણ કરવી.
(૫) અત્રેની કચેરીએ દિવસ દરમ્યાન કામકાજ નો તથા રિસેશ નો સમય તેમજ કર્મચારીઓની હાજરી પૂરવા અંગે ની વ્યવસ્થાની વિગતો પૂરી પડવી. તેમજ કચેરી ના કામકાજના સમય દરમ્યાન કોઇ કર્મચારી ને કોઇપણ કામે કચેરી બહાર જવાનું થાય ત્યારે તે અંગે તેણે કચેરી માં નોંધ કરવા કે મંજૂરી મેળવવા ની વ્યવસ્થા ની વિગતો પૂરી પાડવી.
સમયગાળો: મુદ્દા નં: ૧ અને ૨ તા- ૦૧/૦૪/૨૦૦૭ થી તા- /૦૫/૨૦૦૯ સુધી [આજ રોજ ની તારીખ] (અહીં અરજી કર્યા તારીખ થી પાછળ ના ૨૦ વર્ષ ની માહિતી માંગી શકાય છે, પરંતું આ અરજી માં પાછળ ના બે વર્ષ ની માહિતી માંગવાથી અનુકુળતા રહેશે.
મુદ્દા નં: ૩,૪ અને ૫ – સમયગાળો લાગુ પડતો નથી હાલની સ્થિતી મૂજબની માહિતી તેમજ ચાલુ કાર્યોના નિરિક્ષણ ની માંગણી કરેલ છે..
અન્ય વિગતો:
(૧) માંગવામાં આવેલ તમામ માહિતી સંદર્ભ ના અસલ રેકર્ડ નિરિક્ષણ અર્થે અચૂક જાણ કરવી અને ત્યાર બાદ અમારી માગણી મૂજબની માહિતીના દસ્તાવેજોની પ્રમાણિત નકલો પુરી પાડવી.
(૨) માંગવામાં આવેલ માહિતી, કે તેનો કોઇ ભાગ અત્રેની કચેરી એ લાગુ પડતો ન હોય તો સંબંધિત કચેરીએ તબદિલ કરી તે અંગેની અમોને લેખિત જાણ કરવી.
સ્થળ: ______________ અરજદારની સહી
તારીખ: ______________ ફોન નં: ____________________
7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓
सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...
-
वकील ने उत्तराखंड नागरिक संहिता को हाईकोर्ट में चुनौती दी; कहा प्रावधान मुस्लिम, LGBTQ समुदायों के प्रति भेदभावपूर्ण हैं। होम-आइ...
-
Huzaifa Patel Date : 12 March 2025 अयोध्या भूमि अधिग्रहण मामला: न्याय और पारदर्शिता की परीक्षा । अयोध्या, जो अपनी धार्मिक और सा...
-
मुस्लिम शरिफ की हदीश 179 जिल्द ,1 हिंदी और उर्दू मे आपकी खिदमत मे पैश करते हे. SAFTeamguj. 03 Aug 2021 السلام عل...