Followers

Tuesday, 23 July 2019

જન સંપર્ક જાગૃતિ અભિયાન

મકસદ....              ફિરાસત.....           જીમ્મેદારી...

હમારે બેહતર ભવિષ્ય કે લિયે હમે બદલાવ લાના હે,
છોટે-બડ઼ે  વિવાદો કો સુલ્જાકર હમે અગે બઢના હે,

      અસ્સલામુ અલ્યકુમ વ.વ.વ.

       સૌપ્રથમ  આપ હમારા આ જન સંપર્ક જાગૃતિ  અભિયાનના પ્રચારના રૂપમાં પત્રિકાના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોમાં પત્રિકા વાંચી ભાગીદાર થવા બદલ અાપનો આભાર વ્યકત કરીએ  છીએ અમોને આશા છે, કે આ પત્રિકાને શાંતિથી વાંચી પોતાના જીવનમાં લાવવા માટે આગળ વધશો અને આ વિચારો સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રચાર કરશો અને સામાજિક જાગૃતિના આ કાર્યમાં ભાગીદાર બનશો એવી આશા રાખુ છું.....

      મુસ્લિમ સમાજના વડીલો,યુવાનો,મા-બેહનો અને સામાજિક આગેવાનો આજે આપણે વિચાર કરવાનો સમય છે, આપણી નાની નાની વિચારધારા અને ગેરસામાજિક પ્રવૃત્તિઓથી શું સમાજ કમજોર થઇ રહયો નથી?  અને શું સમાજમાં  ભાગલા  પડી રહયા નથી? આવા ગંભીર સમયે જયારે આપણો સમાજ દરેક ક્ષેત્રે કમજોર,લાચાર અને ગંભીર વિચારધારાની બિમારી તરફ જઈ રહયો છે, જેના લઈને આજે ભારત દેશના તમામ સમુદાયોમાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિઓ અને કમજોર વિચારોમાં ઘેરાયેલો સમાજ અગર જો કોઈ હોય તો તે આપણો મુસ્લિમ સમાજ છે, આપણે પોતે તે માનવું  પડશે આપણે ઈસ્લામ ધર્મ પાળીને  એક પાલનહાર માલીકના બંદા હોવાના મોટા મોટા દાવા કરીએ  છીએ  પણ શું આપણે ખરે ખર તે પાલનહારના સાચા બંદા અને તેના ફરમાનો (આદેશો) નું  પાલન કરીએ છીએ ? તે આજે દરેક મુસ્લિમને જે સાચા દિલથી દુનિયાના  માલિકને માનતા હોય તેવા તમામ ઈન્સાનો ને વિચાર કરવાની આવા ગંભીર સમય ઘણી જરૂર છે....

      આજે આપણો સમાજ ગંભીર વિચારધારામાં મસલક,ફિરકાપરસ્તી,જાતિવાદની બિમારીમાં એટલી હદે આગળ નિકળી ગયો છે કે આજે આપણે ભારત દેશના અન્ય સમાજ કરતા પણ સામાજિક એકતા, શૈક્ષણિક જાગૃત્તા અને સામાજિક અને રાજકિય લીડરશીપમાં આપણો સમાજ પાછળ  રહી ગયો છે, જેના લઈને આજની નવી પેઢી  પોતાને યતીમ અને મજલુમ સમજવામાં મજબુર છે, આજે અાપણો સમાજ નાના નાના લડાઈ ઝઘડામાં અતિશય આગળ નીકળી ગયો છે, જેના કારણે આજે પરિવાર અને મુ.મહોલ્લાઓ સાથે ગામની એકતા એક મોટી સમસ્યા બની ગઈ છે,

      આવા ગંભીર સમયે મુસલમાનોને  પોતાના પરિવાર, સમાજ અને ઈન્સાનિયત પર જવાબદારીનો એહસાસ કરવાની ઘણીજ જરૂર છે નહીકે નિરાશ અને હતાશમાં આવી હાર માની ને પોતાની માનસિકતાને કમજોર બનાવી સમાજ માટે પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરવાથી બચવાની જરૂર છે, આપણે સૌ એવા ધર્મ અને પાલનહારને માનીએ છીએ જેણે આપણ સૌને તમામ વિષયમાં કુરાનના  અને નબીએ પાક સ.અ. ના જીવનથી દરેક સમસ્યાઓના ઉપાઈ માટે માર્ગદર્શનના વિશાળ કાર્યો બતાવ્યા છે, પણ આપણી બરબાદીના આપણે પોતેજ જવાબદાર છે,  જેમકે આપણે પોતે આપણી માનસિકતાને , મસલક ,ફિરકા ,અને જાતિવાદી બનાવી છે, જેના કારણે આજે ઘણા એવા સામાજિક કાર્યોમાં "આ" ગંભીર બિમારી એક દિવાર બની અવરોધ ઉભો કરવાનું  કામ કરે છે, આજે તમે પોતે વિચારો શું  આ આપણા વિચારોથી સમાજનું  ભવિષ્ય ખતરામાં દેખાઈ રહયું નથી?? આપણી મસલક,ફિરકા,જાતિવાદી વિચારધારા આપણા બાળકો માટે દુશ્મની સમાન છે, જો આપણે ઇચ્છતા હોય કે આપણા બાળકોને સારી સમાજીક વ્યવસ્થા અને સામાજિક એકતા અને સારૂ ભવિષ્ય મળે તો આપણે એક કદમ આગળ આવી કુદરતે આપેલ આપણી જવાબદારીઓ માટે વીચારવું ઘણું જરૂરી બની ગયું છે, તે માટે સૌપ્રથમ પહેલો કદમ આપણે પોતે માનસિક રૂપથી
મજબુત થવા માટે મસલક,ફિરકા,જાિતવાદથી બહાર આવી એક સાચા અર્થમાં મુસ્લિમ બનીને સમાજને આ ગંભીર બિમારીથી મુક્તિ  માટે આપણે પોતાનાથી  શરૂઆત કરીએ...અને

મસલક,ફિરકાપરસ્તી,જાતિવાદ આ એક ગંભીર  બિમારી છે જે આપણા સમાજમાં એકતા,લીડરશીપ, અને સમાજના વિકાસ માટે ઘણીજ અડચણ રૂપ બની રહી છે, આ સમસ્યામાંથી સમાજને બહાર લાવવા માટે આપણે પોતાની જાતથી શરૂઆત કરવી જરૂરી છે, જેટલી ગંભીર બીમારી હોય  તેનો ઈલાજ પણ મુશ્કિલ હોય શકે છે, પણ અલ્લાહ રબ્બુલ ઇજ્જત ધણો દયારૂ અને મદદગાર છે, આવા કપરા સમયે આપણા સમાજ માટે ઉઠો,જાગો  મુસ્લમાનો અભિયાન નામથી ઘણી આશાન મહેનત આપણ સૌને આપી છે, જેના લઈને આપ સમક્ષ હમે બસ એક અપીલ લઈને આવ્યા છીએ, સમાજના સારા ભવિષ્ય માટે પોતાને બદલી સમાજમાં  પરિવર્તન  માટે આ ગંભીર બિમારીમાંથી બહાર આવા માટે પ્રયાસ કરશો જેમાં પ્રથમ પ્રયાસ વિચારધારા બદલાવા માટે નીચે આપેલ ૩ વાક્યો ને સારી રીતે સમજી સમાજમાં ખુબ પ્રચાર કરશો... આગળ

    આજે મુસ્લિમ સમાજને શાની જરૂરત છે???
નં.૧-  મશલક નહી  મકસદ પર આવવાની જરૂર છે,
નં.૨- ફિરકાપરસ્તી  છોડી ફિરાસત બતાવવાની જરૂર છે,
નં.૩- જાતિવાદથી નીકળીને જિમ્મેદારી ઉથાવવાની જરૂર છે,

     ઉઠો-જાગો મુસ્લમાનો અભિયાનના માધ્યમથી ભરૂચ જિલ્લાનાં દરેક ગામે ગામ અને મુસ્લિમ વિસ્તારોમાં  જઈ સમાજને મસલક, ફિરકા,જાતિવાદની ગંભીર બિમારીની સમસ્યાઓ સમજાવવા માટે અઠવાડિયાના શુક્રવાર,શનિવાર ,રવિવારના દિવસોમાં  પ્રચાર કાર્ય કરવા આપ સૌ  મદદરૂપ થઇ શકતા હો તો હમારા નંબર ઉપર સંપર્ક કરો ...

જન સંપર્ક જાગૃતિ અભિયાનના માધ્યમથી વધુ સારા પ્રયાસો કરવા હંમેશા હમારી ટીમ કાર્યરત રહે છે, આ અભિયાનમાં અમને આશા છે કે, સમાજના બુદ્ધિશાળી ,અનુભવી વડીલો  સમજદાર યુવાનો અને સમાજની સક્રિય સંસ્થાઓ,સંગઠનો અભિયાનના પ્રચારને સાથ સહયોગ આપવા મદદરૂપ થશે.... એવી આશા...

    વધુમાં આશા છે સમાજના વિચાર પરિવર્તનના કાર્યોમાં આપનો સાથ અને સહયોગ આપી અભિયાનની સફળતા માટે દુઆ કરી મદદરૂપ થશો...

    
મસલક અને ફિરકાની દિવાલો તોડીને મહોબ્બતની દિવારો કાઈમ કરીએ... સમય ની એ માંગ છે...

     હમારા સામાજિક કાર્યોના લઇને અમો આશા રાખીએ છીએ કે મુસ્લિમ સમાજના ૩૦ થી ૪૦ % જાગૃત લોકો જો આ અભિયાન ને મદદરૂપ  થઈ સમાજમાં એકતા બનાવવાના અભિયાનના પ્રયાસોમાં મદદરૂપ થાય તો આ કાર્ય સફળતાપૂર્વક  કરી શકીએ છીએ..

               કોઇપણ  સામાજિક કાર્યો માટે સમાજનો પ્રથમ જાગૃત અને ચિંતિત વ્યક્તિઓ  અને સમાજના એજ્યુકેશન જેમા દીની-દુન્યવી  અને સમાજના આગેવાનો  જયારે  સમાજને દિશાનિર્દેશન  કરવા અને સારા ભવિષ્ય માટે પોતાનું  યોગદાન આપે છે, ત્યારે તે સમાજની  કેવી પણ ગંભીર પરિસ્થિતિઓ અને સમસ્યાઓ હોઈ તેને દુર કરવામાં સમાજને વિશ્વાસ જાગે છે, અને જયારે સમાજમાં સામાજિક પ્રવૃત્તિઓમાં  લોકો નો વિશ્વાસ  આવે છે,ત્યારે  સમાજની દરેક ક્ષેત્રે વિકાસ થઇ શકે છે, અને તે સમાજનો દરેક વ્યક્તિ  સામાજિક વ્યવસ્થા  બનાવવામાં  ભાગીદાર થાઈ છે, અને જ્યારે સમાજ માટે સામાજિક કાર્યોમાં   વિશ્વાસ ,ભાગીદારી અને સહયોગીઓ કોઈ પણ સમાજને મળે છે, તે સમાજ પોતાના બાળકોને સામાજિક વ્યવસ્થા આપી તેમનું  ભવિષ્ય ઉજવલ આપી શકે છે..
               સમાજના દીની અને દુન્યવી ઈલ્મ રાખતા અને આગે વાનો ને ખાસ અપીલ આ કાર્યમાં મદદરૂપ  થઈ સમાજના યુવાનોમાં  જિમ્મેદારી ઉથાવી સમાજ માટે ઉપયોગી બનાવવા ના હમારા આ નેક કાર્યોમાં  આપના સાથ સહયોગ  અને સલાહની ખુબ ખુબ અપેક્ષા  રાખીએ છીએ ..

    કોઈપણ સામાજિક કાર્યો માટે ઘણા સંસાધનની જરૂરત રહે છે, હમો આપનાથી અપીલ કરીએ છીએ કે, આપ અમારા કાર્યોમાં સમય, બુદ્ધિ , અને આર્થિક  રૂપથી મદદરૂપ થવા સામાજિક જાગૃતિ માટે પોતાની હલાલ કમાઈમાંથી નાની-મોટી  મદદ કરશો,
આ અભિયાનના માધ્યમથી હમારી SAF Team વધુ સારા કાર્યો કરવા માટે સમાજના યુવાનોને આગળ કરવા માટે આયોજિત કાર્યો કરવા માંગે છે..અને

    જો સિર્ફ અપની સોચમે ઓર અપને લિયે જીતા હે,વો અપને સમાજકે લિયે જિંદા લાસ સમાન હે...
                                       મો.અ.કલામ આજાદ

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...