Followers

Friday, 16 August 2019

Whatsapp mesaj police बतमीदार

*પોતાના હેતુ અને મકસદ માટે અને સમાજનું અને કૌમનુ નુકસાન કરનારા પોલીસના ખબરીઓ અને બાતમીદારો વિશે........*

*આજે ઠેર-ઠેર મુખ્બિરો અને બાતમીદારો ના ટોળા ને ટોળા જોવા મળે છે જે કોઈ માણસને કોઈ ધંધો નથી મળતો તે પૈસા કમાવવાનો અથવા પોતાની પાછલી ભુલોની મજબુરી ને લ‌ઈ બાતમીદારીના કામમાં સપડાય જાય છે.* અને આ બાતમીદારો નું એક જ કામ હોય છે જેની સાથે તેમનો સંબંધ સારો નથી તેને કાનુન અને કાયદાની આંટી ઘૂંટી માં કેવી રીતે ફસાવવો તેના પેંતરા બનાવવામાં લાગી જાય છે. પરંતું આ વાત વિચારવાનું ભુલી જાય છે કે આ માણસ શું કામ કરી રહ્યો હતો. એક શરીઅતના ફરજની અદાયગી માટે તૈયારી કરી રહ્યો હતો. અને તેના આટલા મોટા કામ માં અડચણો ઉભી કરી પોતાના ઘરમાં ખૂશ થઈ બેસે છે અને એમ વિચારે છે કે મેં મારા દૂશ્મનને ફસાવી દીધો પરંતુ આ વિચારવાનું ભુલી જાય છે કે અલ્લાહના કામમાં અંને શરીઅત ના કામમાં અડચણ ઉભી કરી અલ્લાહ સાથે દુશ્મની કરી લે છે‌. *જરા વિચારો કે જે માણસ અલ્લાહના કામમાં અડચણો ઉભી કરશે શું તે માણસ પોતાના ઘરમાં ખુશ રહી શકે છે??*
બીજી વાત આ રીતે ભારતમાં મુસ્લિમ સમુદાય ને ઠોકરો ખાવા માટે અને પરેશાન કરવા માટે છોડી દે છે અને વૈમનસ્ય ફેલાવનાર ટોળકીનો સાથ આપે છે. અને એવા લોકોને સાથ આપે છે જેઓ ભારતમાંથી ઈસ્લામ અને મુસલમાનને‌ ખતમ કરવાનો પ્રયાસ કરે છે.
*યાદ રાખો!* 
*ઈસ્લામ હંમેશા માટે છે એ ખતમ થવાનો નથી, પરંતુ બાતમીદારો પોતાની ભુલોને લ‌ઈ પોતે તો ખતમ થશે અથવા અલ્લાહની યાદીમાં ગદ્દારોની લિસ્ટમાં આવી જાય છે.*
*અને અલ્લાહને નારાજ કરી ક્યાં જશો??*
*ઈસ્લામને બદનામ કરવાવાળા નો સાથ આપી ક્યાં જશો?*
*ઈસ્લામ ખતમ કરવા વાળાને મદદ કરી ક્યાં જશો??*

*તમે બરબાદ થશો અને તમારી નસલોમાંથી ભલાઈ ખતમ કરી દેવામાં આવશે તો તમે ક્યાં જશો???*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...