Followers

Friday, 19 June 2020

હાઈકોર્ટનો પોલીસને સવાલ- લોકડાઉનનો ભંગ માત્ર મુસ્લિમ સમાજના લોકોએ જ કર્યો છે?



  તેલંગાણાની હાઈકોર્ટે એક પીઆઈએલ પર સુનાવણી કરતાં પોલીસની ઝાટકણી કાઢી છે. કોર્ટે હૈદરાબાદ પોલીસને સવાલ કર્યો કે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવાના સૌથી *વધારે કેસ મુસ્લિમ સમાજના લોકોની વિરુદ્ધ જ કેમ* દાખલ કરાયા છે. આનો અર્થ એ છે કે બીજા સમુદાયોના લોકોમાંથી કોઈએ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું નથી. 
  ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર સિંહ ચૌહાણ અને જસ્ટિસ બી વિજસેન રેડ્ડીની બેંચે જણાવ્યું કે, *અમેરિકામાં જુઓ શું થઈ રહ્યું છે?* એર આફ્રીકન અમેરિકન વ્યક્તિને પોલીસે મારી નાંખ્યો હવે સમગ્ર દેશમાં આગ લાગી છે. સુનાવણી દરમિયાન બેંચે માન્યું કે લોકડાઉન દરમિયાન લઘુમતિ સમુદાયના લોકો પ્રત્યે *પોલીસનું વલણ ક્રૂર* હતું. 
  સમાજીક કાર્યકર્તા *શીલા સારા મૈથ્યૂઝે હાઈકોર્ટમાં પિટીશન દાખલ* કરી હતી. તેમણ કોર્ટને એવી કેટલીક ઘટનાઓ અંગે જાણ કરી હતી જેમાં *પોલીસે મુસ્લિમ યુવકોની સાથે ક્રૂરતા* કરી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી. શીલાના વકીલ દીપક મિશ્રાએ જુનૈદના નામના યુવકનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે જુનૈદને ઢોર માર માર્યો હતો જેને કારણે તેને *35 ટાંકા* આવ્યા હતા. 

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...