Followers

Saturday, 13 June 2020

જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો જરૂર વાંચો...


*"એસ. એસ. સી. બોર્ડનું                 પરિણામ નીચું આવવાના કારણો : -"* *(મારા મતે)*

૧. પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. પ્રવાસી શિક્ષકોથી ચલાવી લેવું પડે છે. તે પણ પૂરતી લાયકાતવાળા મળતાં નથી! (નિયમિત શિક્ષકોની ભરતી ઘણાં વર્ષોથી થઈ નથી.)

૨. ગામડાના વિધાર્થીને ખેતીનું કામ કરવું પડે છે. માબાપ શનિવાર અને રવિવારે  ખેતી કામમાં જોતરે  છે. છોકરીઓને ઘરકામમાં જોતરે છે. 

૩. ધણા વાલીઓ એવા છે કે, વિધાર્થીને બિનજરૂરી  ધેર રાખે છે.

૪. શિક્ષકો/આચાર્ય જ્યારે વાલી સંપર્ક કરે ત્યારે કોઈ વાલી ઘરે મળતાં નથી.

૫. વાલી મિટિંગમાં વાલીઓ આવતાં નથી.

૬. વધારાના તાસ ગોઠવીએ છતાંય  વાલીઓ મોકલતા નથી.  કેમકે, વહેલા કે મોડા મોકલતા વિધાર્થીનું ભોજન સવારે મોડું બનાવે.

૭. ઝીરો પીરિયડમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કાચા- નબળા છે તે આવતાં જ નથી.

૮. વિધાર્થી  મોટાભાગે  ધોરણ – ૯ માં  અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં  પાયાનું શીખવવું  પડે છે. 

૯. પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ માં થી હજુ  કાચા બાળકો આવે છે. (પાયો નબળો.)

૧૦. મારા માટે એસ. એસ. સી. બોર્ડ પહેલાં ધોરણ- ૫ અને ૮ માં પણ બોર્ડ પરીક્ષા હોવી જોઈએ. 

૧૧. વાલીઓમાં જાગૃતિનો અભાવ.

૧૨. વાલીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે જરૂરી સંદર્ભ પુસ્તકો બાળકોને અપાવી શકતાં નથી. 

૧૩. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસક્રમ લેંધી છે. અને વધારે પડતો પણ છે. (મારા મતે તો ઘણો જ લાંબો અને ક્યાંક ક્યાંક બિનજરૂરી પણ!)

૧૪. NCERT બેઝડ અભ્યાસક્રમ આપણા વિદ્યાર્થીઓ માટે અઘરો પડે. આપણા વિદ્યાર્થીઓની સમજશક્તિ કરતાં વધુ હાર્ડ છે. ભણાવવાની મેથડમાં સુધારો જરૂરી. 

૧૫. ગણિત, વિજ્ઞાન જેવા વિષયમાં NCERT અભ્યાસક્રમ દાખલ કરવાની ઉતાવળમાં બરાબર ગુજરાતી ટ્રાન્સલેટ પણ કર્યું નથી.  ઘણી જગ્યાએ વાક્યરચના બંધ બેસતી નથી. (સીધું ગૂગલ ટ્રાન્સલેટ જેવું છે!)

૧૬. વિદ્યાર્થીઓના ઘર-કુટુંબમાં ભણતરનું વાતાવરણ મળતું નથી.

૧૭. વિદ્યાર્થીઓને ભણતરની ગંભીરતા સમજાતી નથી. તેઓ બધું રમતમાં લઈ લે છે.

૧૮. ઘણા વિદ્યાર્થીઓ મા-પિતાની વાતને ગણકારતાં નથી.

૧૯. કયારેક પેપર સેટર દ્વારા  ઘણું હાર્ડ પેપર કાઢવામાં આવે  છે. જાણે કે, વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી નહીં તેમના દુશ્મન હોય! (માર્ચ- ૨૦૨૦ ધોરણ-૧૦ ગણિતમાં પરીક્ષા વખતે અઘરાં પેપર બાબતે ઘણો હોબાળો થયો હતો!)

૨૦. આપણે ત્યાં શિક્ષણ પદ્ધતિ લાંબાગાળા માટે નથી. આપણે ત્યાં છાશવારે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ બદલાયા કરે છે. (છેલ્લા દસ વર્ષમાં બોર્ડે ઘણા સુધારા કર્યાં.સેમેસ્ટર લાવ્યા; કાઢી નાખ્યું! OMR લાવ્યાં; દૂર કર્યું, સર્વગ્રાહી મૂલ્યાંકન લાવ્યાં; દૂર કર્યું!,પાઠ્યપુસ્તકો બદલ્યા વગેરે... )



*🙏🏻જો કારણો વાજબી લાગે તો મને પ્રોત્સાહિત કરજો. પ્રતિભાવ આપજો. તથા કોઈ સૂચન હોય તો પણ જણાવજો....🙏🏻*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...