*જમીયત ઉલમા જીલ્લા બનાસકાંઠા દ્વારા હાઇકોર્ટે માં કરવામા આવેલ પિટિશન ને આધારે છાપી CAA/NRC પ્રોટેસ્ટ કેસ માં ધરપકડ કરેલ લોકો ની 5 મહીના બાદ જામીન ઉપર મુક્તિ થતા મુસ્લિમ સમાજ માં ખુશી ની લાગણી છવાઇ*
🏁પાલનપુર 11/06/2020 🏁
છાપી ખાતે 19 ડિસેમ્બર ના રોજ વડગામ વિકાસ સમિતિ બેનર હેઠળ પ્રશાસન થી પરમીશન મેળવી CAA/NRC નો વિરોધ તેમજ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાખુલ્લા ખાન ની શહીદ શ્રદ્ધાંજલિ માટે નું છાપી ગોલ્ડન કોમ્પલેક્ષ આગળ આયોજન કરવામો આવ્યું હતું, આયોજન ના એક દિવસ અગાઉ વડગામ મામલતદાર થી પરમિશન મળેલ જેના સમાચાર સોશિયલ મીડિયા મારફત વહેતા થઈ ગયા હતા, જેને લઈ 19 ડિસેમ્બર ના સવારે મોટી સંખ્યાં માં લોકો આવવા લાગ્યા હતા , ત્યાં હાજર રહેલ પોલીસ સવારથી જ આયોજકો ને ત્યાં આવવા ની સાથેજ તેમની અટકાયત કરી લેતા લોકો રોષે ભરાયા હતા. પરમીશન કેન્સલ કરવામો આવી છે એવું લોકો ને ત્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું, ત્યાં હાજર લોકો એ અટકાયત કરેલ આયોજકો ને છોડવા સૂત્રોચાર કર્યા અને
છોડાવવાની માંગ કરી હતી.પોલીસના કહેવાથી લોકો વિખેરાઈ ગયા હતા,
એકત્રિત થયેલ લોકો 11 થી 12 વાગ્યા ના સુમારે ત્યાં થી વિખેરાઈ પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા હતા,
ત્યાર બાદ પોલીસે મોડી રાત્રે આયોજકો તેમજ ત્યાં હાજર 3000 નું ટોળું દર્શાવી FIR મા એવુ દશાઁવ્યુકે પોલીસ ને મારવાની ધમકી તેમજ અન્ય કલમોનો ઉમેરો કરી છાપી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો, ત્યાર બાદ પોલીસ દ્વારા વેપાર ધંધા માટે આવતા છાપી હોટલો, પાન ના ગલ્લા, મિઠાઈ ની દુકાનો પર થી તેમજ અન્ય દુકાનો પર થી તેમજ માહી, રજોસણા ,બીજા ગામડાંઓ માંથી ધરપકડ કરવામો આવી હતી, બાદ માં પોલીસે આ કેસમાં લુંટ ની કલમ(395) નો ઉમેરો કર્યો 51 લોકોની ધરપકડ કરી જેલમા ધકેલી દીધા હતા.ચાર માસ સુધી જેલમા ધકેલી દીધા હતા.
મૌલાના અબ્દુલ કુદદુસ સાહેબ ની અધ્યક્ષતા હેઠળ જમીયત ઉલમા જીલ્લા બનાસકાંઠા તથા છાપી કમીટીના ના સભ્યોના સતત પાંચ માસ સુધીના પ્રયાસોથી અને લોકો ની દુવાઓ થી આજે હાઇકોર્ટ થી રેગ્યુલર જામીન મળતા જમીયત ઉલમા તથા કમીટીને મોટી સફળતા મળેલ છે.
આ કાયઁ મા શહેર ગામ માંથી જેમણે સાથ,
સહકાર આપ્યોછે તે તમામે તમામનો જમીયત ઉલમાએ આભાર વ્યકત કયોઁ હતો.